લેખન કાર્ય
સાહિત્ય સાથેનો સંપર્ક અથવા કહો કે સાહિત્ય તરફ ની કારકિર્દી ના મંડાણ થયા “ગાંધીનગર સમાચાર” થી. માનનીય શ્રી કૃષ્ણાકાંત જહા સાહેબના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ લગભગ ૧૦ વર્ષ સુધી માનદ પત્રકાર ની સેવા આપેલ છે. હિન્દી ગુજરાતી કાવ્ય લેખન ઉપરાંત મોત કા મુકાબલા ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કરેલ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ભારત સરકારના નિમંત્રણથી હિન્દી નવ લેખક સાહિત્ય શિબીર પુના તથા દાર્જીલિંગમાં ઉપસ્થિત રહેલ. હિન્દી-ગુજરાતી માં હરીકૃપા કાવ્ય સંગ્રહ પ્રકાશિત છે. તેમજ વ્યસન મુક્તિના કાવ્યો સ્લોગન અને પુસ્તકો પ્રકાશિત છે. હાલમાં વોઇસ ઓફ ગાંધીનગર સમાચાર પત્રમાં સેવા આપી રહ્યો છું.
૫.પ્રકાશિત પુસ્તકો ;
જો ડો.બાબા સાહેબ આબેડકર ના હોત તો? (નિબંધ પ્રકાર)
“મોત કા મુકાબલા” (હિન્દી અનુવાદિત)
“હરિકૃપા” (કાવ્ય સંગ્રહ હિન્દી-ગુજરાતી)
“સ્વર્ણિમ ગુજરાત સ્વર્ણિમ સંકલ્પ”
“ચાલો વ્યસન મુકત શાળા કોલેજનું નિર્માણ કરીએ”
Golden Oath (Under Process)